પાલનપુરથી મેહુલ જોષીની કલમે

ડગલું…………

ડગલું  એવું  શાથી ભરવું?

થોડું થોડું કાયમ મરવું?

મુક્તિ પામો તેવું જીવો,

શાને જગમાં પાછા ફરવું?

ફળતી લાગે ઈચ્છા કોઈની,

સાક્ષી છે તારાનું   ખરવું.

માણસ છે ભૈ બોલે રાખે.

સાચા છો તો શાને ડરવું?

દેખો સાગર ખુલ્લો આખો,

ખાબોચિયામાં શું તરવું?……………..મેહુલ.(ગા…૮)

Leave a comment